Monday, June 9, 2025
HomeGujaratગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓથી ઉભરાયું યાત્રાધામ અંબાજી; વાતાવરણ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું

ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓથી ઉભરાયું યાત્રાધામ અંબાજી; વાતાવરણ જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અંબાજી : આજે ગુરુપૂર્ણિમા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે સવારે માતાજીની મંગલા આરતી વહેલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી. અને આ પાવન અવસરે અંબાજી મંદિરમાં માતાજીની વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો.જગતજનનીમાં અંબાને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. અને આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. માઇભક્તો દૂર-દૂરથી આજે અંબાજી આવી માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં અંબાજી મંદિર આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં માઇભક્તોના જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.આજે ગુરુપૂર્ણિમા દિવશે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુ ના દર્શન અને આશીર્વાદ મેલવવા પોતાના ગુરુ જોડે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવન ને ઉત્તમ તરીકે સંચાલિત કરવાનું જ્ઞાન ગુરુ જોડે મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખકારી અને ઉદારતાની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here