Sunday, June 8, 2025
HomeGujaratસુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ...

સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સુરતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. સિટીમાં શુક્રવારે કોરોનામાં  59  અને જીલ્લામાં 15 મળી નવા 74  દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સિટીમાં 22 અને જીલ્લામાં 10  સહિત 32 દર્દીને રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 59 કેસ નોધાયો છે. જેમાં સૌથી વધુ લિંબાયતમાં 14, કતારગામમાં 9, રાંદેરમાં 9,વરાછા એમાં 6, અઠવામાં 7, સેન્ટ્રલમાં 7, વરાછા બીમાં 6, ઉધના એ ઝોનમાંં 1 દર્દી ઝપેટમાં આવ્યા છે.જેમાં એક ડોકટર, મેડીકલ સહિત ત્રણ વિધાર્થી, એસ.એમ.સી સ્ટાફ નર્સ સહિત બે નર્સ, પાલિકાના બેલદાર, 17 હાઉસ વાઇફ સહિતના સમાવેશ થાય છે. જોકે એક પરિવારના બે સભ્યો સંપડાયા છે. જયારે સિટીમાં 22 દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 291 એકટીવ કેસ પૈકી સાત દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત સુરત જીલ્લામાં 15 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં 10 દર્દી રજા આપી હતી. ત્યાં કુલ 81 એકટીવ કેસ છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here