Wednesday, June 18, 2025
HomeEntertainmentBollywoodશાહીર શેખના અબ્બુજાનનું કોરોનાથી અવસાન, ઇન્ફેક્શનને કારણે તબિયત ગંભીર હતી

શાહીર શેખના અબ્બુજાનનું કોરોનાથી અવસાન, ઇન્ફેક્શનને કારણે તબિયત ગંભીર હતી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ટીવી એક્ટર શાહીદ શેખના પિતા શાહનવાઝ શેખને કોરોના થયો હતો અને સિવીયર ઇન્ફેક્શનને કારણે તેમનું બુધવાર, 19 જાન્યુઆરીના અવસાન થયું હતું. તેમની સ્થિતિ ઘણી જ ગંભીર હતી. તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. શાહીરના પિતાના અવસાનના સમાચાર ટીવી એક્ટર અલી ગોનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી.

ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉનઃ અલી ગોની
શાહીરના મિત્ર અલી ગોનીએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન. અલ્લાહ અંકલની આત્માને શાંતિ આપે. શાહીર શેખ મજબૂત બનજે.’ અલીની આ પોસ્ટ પર ચાહકો તથા અનેક સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શાહીરે બે દિવસ પહેલાં જ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને પિતાને કોરોના થયો હોવાનો તથા વેન્ટિલેટર પર હોવાની વાત કહી હતી. આટલું જ નહીં એક્ટરે પિતા જલ્દી સાજા થાય તે માટે દુઆ કરવાની અપીલ કરી હતી.

‘ડેડી વેન્ટિલેટર છે, પ્લીઝ દુઆ કરો’
શાહીર શેખે પિતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારા ડેડ વેન્ટિલેટર પર છે. તે સિવીયર કોવિડ ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યા છે. પ્લીઝ તેમના માટે દુઆ કરજો.’ ચાહકો તથા સેલેબ્સે શાહીરના પિતા જલ્દીથી ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here