Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી લીધો કાબૂ, કોઈ...

ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડીંગમાં લાગી આગ, 1 કલાકમાં મેળવી લીધો કાબૂ, કોઈ જાનહાનિ નહી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

રાજ્યમાં સતત આગ ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ગાંધીનગર ખાતે આવેલા ડો. જીવરાજ મહેતા ભવન- જૂના સચિવાલયની બિલ્ડિંગના બ્લોક નંબર 1 નજીક સવારે આગ ફાટી નીકળી હતી. ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે એક કલાકમાં કાબુમાં લાવવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને માત્ર એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જૂના સચિવાલય ગાંધીનગરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ જૂના સચિવાલયના ગેટની સામે આવેલા બ્લોક નં. 1 અને બ્લોક નંબર 8ની નજીક આગ લાગી હતી. ચાલુ દિવસ હોવાથી ઓફિસ ટાઇમિંગ પહેલાં લાગેલી આગ પર ગણતરીના કલાકોમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનામાં કોઈ જાનહાનિના થયેલ નથી અને ફાયર વિભાગના બે મોટા ફાયર કોટનરોલ વાહન અને એક નાનું વાહન જોવા મળ્યું હતું, જેણે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here