Tuesday, June 17, 2025
HomeIndiaવડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર સંગમમાં કર્યું સ્નાન...

વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર સંગમમાં કર્યું સ્નાન : CM યોગી પણ સાથે હાજર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. મહાકુંભમાં તેમણે સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. ભગવા વસ્ત્ર, હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. તેમણે સૂર્યને સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું અને લગભગ પાંચ મિનિટ સુધી મંત્રનો જાપ કરતા રહ્યા હતા.સંગમ નોજ ખાતે વડાપ્રધા​​​ને માતા ગંગાની પૂજા કરીને દૂધ અને સાડી અર્પણ કરી હતી. મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે બોટમાં સવારી પણ કરી હતી. મોદીની મહાકુંભ યાત્રા લગભગ 2 કલાક ચાલી હતી.પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે. વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે પીએમ મોદીએ ભગવાન રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here