Tuesday, June 17, 2025
HomenationalMPમાં લાખો બનાવટી મતદારો, કોંગ્રેસ-ભાજપમાંથી કોને જિતાડશે?

MPમાં લાખો બનાવટી મતદારો, કોંગ્રેસ-ભાજપમાંથી કોને જિતાડશે?

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

મધ્યપ્રદેશના દાતિયામાં 10મી મેએ ચૂંટણી પંચ ગઢિયા કોલોનીની મતદાર યાદી તપાસી રહ્યું હતું, કારણ કે દતિયાથી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીએ આરોપ લગાવ્યો હતો કે, દતિયાની મતદાર યાદીમાં 500થી વધુ નામો બનાવટી છે. ભારતીના જણાવ્યાનુસાર, તેમાંથી 288 લોકોનું સરનામું એક જ બતાવાયું છે – મકાન નંબર 0, ગઢિયા કોલોની, દતિયા.કોંગ્રેસે મધ્યપ્રદેશની મતદાર યાદીઓમાં બનાવટી મતદારોના મુદ્દાને ઉઠાવ્યો હોય તેવું પહેલી વાર બન્યું છે. તેણે ચૂંટણી પંચમાં અરજી કરી કાર્યવાહીની માગ કરી છે તથા ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, આ ગરબડ પાછળ સત્તાધારી પાર્ટીનો હાથ છે. ભાજપે જવાબમાં કહ્યું છે કે, મતદાર યાદી તૈયાર કરવાનું કામ ચૂંટણી પંચનું છે અને આ ગરબડમાં ભાજપની કોઈ ભૂમિકા નથી.આ બનાવટી મતદારોનો મામલો એવો છે કે, હંમેશાં ઊંઘતી ઝડપાતી કોંગ્રેસ આ વખતે આ મુદ્દે સક્રિય થઈ ગઈ છે. ત્રીજી જૂને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો હતો.મધ્યપ્રદેશમાં છેલ્લા બે મહિનામાં લગભગ સાત લાખ બનાવટી મતદારો બહાર આવ્યા છે. પહેલો ખુલાસો એપ્રિલ, 2018માં થયો હતો, જ્યારે ચૂંટણી પંચે તમામ જિલ્લામાંથી મતદાર યાદીમાં થયેલી ગરબડોનો રિપોર્ટ માગ્યો હતો. જ્યારે રાજ્યના 51 જિલ્લાના ડીએમે ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલ્યો તો જાણવા મળ્યું કે, રાજ્યની મતદાર યાદીમાં સાત લાખથી વધુ બનાવટી મતદારો છે. તેમાંથી 1,02,114 મતદારો તો હયાત જ નહોતા, પરંતુ મતદાર યાદીમાં હજી પણ તેઓ જીવિત બતાવાયા છે. સૌથી વધુ બનાવટી નામ સાગરની યાદીમાં છે, જ્યાં 60,424 મતદારોની જાણકારીમાં ગરબડ છે. તેમાંથી 25,114 હયાત નથી.ગંભીર વાત એ છે કે, બનાવટી મતદારોની સંખ્યા ખૂબ વધુ છે. સાત લાખની વાત તો ચૂંટણી પંચ સ્વીકાર કરી ચૂક્યું છે. જ્યારે કોંગ્રેસ 60 લાખ બનાવટી વોટર્સ રજિસ્ટર્ડ થવાનો દાવો કરી રહ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, તેણે 100 વિધાનસભા બેઠકો પર તપાસ કરાવી હતી, જેમાંથી 60 લાખ બનાવટી મતદારો વિશે જાણવા મળ્યું હતુંબનાવટી મતદારોનો મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે ભોપાલ અને નર્મદાપુરમ્ (હોશંગાબાદ)માં ટીમ બનાવીને તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ નરેલા, હોશંગાબાદ ભોજપુર, સિવની (માલવા)માં તપાસ માટે ટીમો બનાવવામાં આવી. ભોપાલમાં તપાસ શરૂ પણ થઈ ગઈ છે અને આ તમામ ટીમોનો ફાઇનલ રિપોર્ટ પંચ સમક્ષ સાતમી જૂને રજૂ કરાશે.આ સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ છે અને તેનો જવાબ છે હા. મધ્યપ્રદેશમાં કુલ 5,07,80,373 મતદારો છે, જેમના માટે 65,200 પોલિંગ બૂથ છે. દરેક બૂથ પર 900થી વધુ વોટર વોટ આપે છે. કોંગ્રેસ 60 લાખ વોટર્સ એટલે કે કુલ વોટર્સના લગભગ 12 ટકા વોટર્સ બનાવટી હોવાનો આરોપ લગાવી રહી છે. હવે બીજું ચિત્ર એ છે કે, 2008ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37.64 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 32.39 ટકા મત મળ્યા હતા. એટલે કે બંને પાર્ટીઓ વચ્ચે મતોનું અંતર લગભગ પાંચ ટકા હતું. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપને 44.88 ટકા અને કોંગ્રેસને 36.38 ટકા મત મળ્યા હતા. એટલે કે બંને પક્ષો વચ્ચે મતોનું અંતર આઠ ટકા હતું. હવે જો કોંગ્રેસની વાત ન માનીએ તો, પણ ખુદ ચૂંટણી પંચ સાત લાખ બનાવટી મતદારોની વાત સ્વીકાર કરી ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી સલીના સિંહ કહી ચૂક્યાં છે કે, અત્યાર સુધી 3.86 લાખ નામ વોટર લિસ્ટમાંથી હટાવાયાં છે, જ્યાં કંઈક સો કે હજાર મતોના અંતરથી પરિણામ બદલાતું હતું. અહીં બનાવટી મતદારો ચૂંટણીને અસર કરી શકે છે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here