Saturday, June 21, 2025
HomeGujaratગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રી લેશે શપથ, શપથગ્રહણના 3 કલાક પહેલાં...

ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રી લેશે શપથ, શપથગ્રહણના 3 કલાક પહેલાં ધારાસભ્યોને ફોન થયા – ‘તમે મંત્રી બનો છો’

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અમદાવાદ: શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.

નવી સરકારના સંભવિત મંત્રીઓ :-

રાજ્ય સરકારમાં સંભવિત મંત્રીમંડળ
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,
પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર
આ બધા ધારાસભ્યોને ફોન આવી ગયો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here