Sunday, June 22, 2025
Homenationalજનદીપ ધનખડ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ, કોણ છે ધનખડે

જનદીપ ધનખડ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ, કોણ છે ધનખડે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

નવી દિલ્હી : નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખર ને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. તેમનો મુકાબલો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામે હતો. જ્યારે ધનખરને 528 મત મળ્યા હતા, જ્યારે અલ્વાને માત્ર 182 મતથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે 15 મત અમાન્ય જાહેર થયા હતા. જીતવા માટે 390થી વધુ વોટની જરૂર હતી. સંસદમાં વર્તમાન સંખ્યાબળ 788 છે, જેમાંથી માત્ર ભાજપ પાસે 394 સાંસદ છે. આંકડાઓની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખરની જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. હવે ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ધનખરને મળવા જશે. ધનખર 71 વર્ષના છે અને તે રાજસ્થાનના પ્રભાવશાળી જાટ સમુદાયના છે. તેમની પૃષ્ઠભૂમિ સમાજવાદી રહી છે. ધનખરને જનતા દળ (યુનાઈટેડ), વાયએસઆર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, એઆઈએડીએમકે અને શિવસેનાએ ટેકો આપ્યો હતો.ચૂંટણીમાં હારેલા એંસી વર્ષના અલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), આમ આદમી પાર્ટી (AAP) અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ અલ્વાના સમર્થનની જાહેરાત કરી હતી. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ પણ અલ્વાને સમર્થન આપ્યું હતું. લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં સામેલ કરવામાં આવે છે. નામાંકિત સભ્યો પણ આમાં મતદાન કરવા પાત્ર છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here