Friday, August 8, 2025
HomeGujaratરાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

રાજકોટ :રાજકોટ ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ માં પાછળના રૂમમાં આગ ફાટી નીકળી હતી. જેથી અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. તમામ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાંક રૂમમાં એકાએક આગ લાગી હતી. જેમાં રિસોર્ટમાં કેટરિંગનું કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા છેજોકે, આગ લાગી કે કોઈએ લગાડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

. તમામને ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આ આગમાં ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓનું કહેવુ છે કે, આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હતો. ત્યારે આગ લાગી એ સમયે બહાર દરવાજો કોણે બંધ કર્યો તેની પણ તપાસ કરાશે.  હાલ પોલીસ દ્વારા આગની તપાસ કરવા FSL ની મદદ લેવામાં આવી રહી છે. આગ લાગી કે લાગવાઈ તે FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here