Thursday, June 19, 2025
HomeGujaratઅસિત વોરાના રાજીનામા બાદ ગૌણ સેવા પસંદગી મંડળનો નવો ચાર્જ IAS એ.કે....

અસિત વોરાના રાજીનામા બાદ ગૌણ સેવા પસંદગી મંડળનો નવો ચાર્જ IAS એ.કે. રાકેશને સોંપાયો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ગાંધીનગર: આસિત વોરાએ સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળ ના  ચેરમન પદેથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, 24 કલાકની અંદર જ સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ આઈએએસ એ.કે. રાકેશને સોંપવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા આયોગનો ચાર્જ એ.કે રાકેશને સોંપાયો છે.નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.હેડ કલાર્કની 186 જગ્યાઓ માટે ડિસેમ્બરમાં પરીક્ષા યોજાઇ હતી પણ પ્રશ્નપત્ર ફુટતા સરકારે પરીક્ષા રદ કરવી પડી હતી. આ પેપરલીક કૌભાંડના કારણે રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો. પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ આપ્યુ હતું. આ પહેલા પણ કેટલાંય બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છેગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા બાદ હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 20 માર્ચના રોજ યોજાવવાની છે. આગાઉ 2019માં તથા 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા પેપરલીક થવાના કારણે રદ કરવામાં આવી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here