Friday, June 20, 2025
Homenationalકર્ણાટક : મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ શપથ લીધા

કર્ણાટક : મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ શપથ લીધા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

બેંગલોર,તા. ૨૬
કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બીએસ યેદીયુરપ્પાએ આજે શપથ લીધા હતા. યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના ઉપરાંત ૨૦૦૦ રૂપિયાના બે હપ્તા અલગથી આપવામાં આવશે. કુમારસ્વામી સરકાર દ્વારા આ મહિને જારી કરવામાં આવેલા આદેશોને આગામી સમીક્ષા સુધી સ્થગિત રાખવાના પણ આદેશ કર્યા હતા. તેઓએ એવી તમામ ટ્રાન્સફર ઉપર પણ રોક લગાવી દીધી છે જેને મંજુરી મળી ગઈ છે પરંતુ અમલી કરવામાં આવ્યા નથી. ખેડૂતોને પીએમ કિસાન યોજના ઉપરાંત ૪૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, ૨૯મી જુલાઈના દિવસે સવારે ૧૦ વાગે બહુમતિ પુરવાર કરશે. ફાઈનાન્સ બિલને પણ પાસ કરાવવામાં આવશે. બહુમત પુરવાર કરવા માટે યેદીયુરપ્પાને ૩૧મી જુલાઈ સુધીની મહેતલ આપવામાં આવી છે. આજે બેંગ્લોર Âસ્થત રાજભવનમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદીયુરપ્પાને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. અન્ય કોઇ મંત્રીએ હજુ સુધી શપથ લીધા નથી. અગાઉ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં સરકારનુ પતન થઇ ગયા બાદ ભાજપે સરકાર બનાવવાની કવાયત હાથ ધરી હતી જેના ભાગરુપે કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ સવારમાં રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સરકાર રચવાનો દાવો કર્યો હતો. હવે સરકાર બની ગયા બાદ પણ મુખ્ય પડકાર બહુમતિ પરીક્ષણ માટેનો રહેશે. ૨૩મી જુલાઇના દિવસે કર્ણાટકમાં ૧૪ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર વિશ્વાસમતમાં પડી ગઈ હતી. આનીસાથે જ હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો પણ અંત આવી ગયો હતો. મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાન થયા બાદ સત્તા પક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા જ્યારે ભાજપની તરફેણમાં ૧૦૫ મત પડ્યા હતા તે વખતે ગૃહમાં કુલ ૨૦૪ ધારાસભ્યો ઉપÂસ્થત રહ્યા હતા. કોંગ્રેસ અને જેડીએસની છાવણીમાં સોપો પડી ગયો હતો.૨૮મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે પ્રથમ વખત કુમારસ્વામી સરકાર બની હતી. ૨૦૦૮માં પણ ફરી તક મળી હતી. જેડીએસ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા પહેલાથી જ નાખુશ હતા. મુશ્કેલીઓની શરૂઆત વર્ષ ૨૦૧૯થી શરૂ થઇ હતી. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કોંગ્રેસના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની ધમકી આપી હતી. ચોથી જૂન ૨૦૧૯ના દિવસે વિશ્વનાથે જેડીએસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું. કર્ણાટકમાંસંકટની શરૂઆત છઠ્ઠી જુલાઈના દિવસે થઇ હતી જ્યારે જેડીએસ અને કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોએ મેમ્બરશીપ તરીકે રાજીનામા આપ્યા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here