Tuesday, June 17, 2025
HomeSportsCricketઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેનો તખ્તો અંતે તૈયાર

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ માટેનો તખ્તો અંતે તૈયાર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

યજમાન ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપનો તાજ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે : ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગઇ હોવા છતાંય ચાહકોમાં ઉત્સુકતા

લોર્ડસ, તા. ૧૩
જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જાઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કારણ કે જારદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. એક વખતે તેના પર વર્લ્ડ કપમાંથી આઉટ થવાનો ખતરો હતો. જા જે ઇંગ્લેન્ડ જારદાર દેખાવ કરીને વાપસી કરી હતી. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે શÂક્તશાળી ઓસ્ટ્રેલિયા પર મજબુત જીત મેળવી હતી. પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર જીત મેળવીને મોટો અપસેટ સર્જયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ અંડરડોંગ તરીકે મેદાનમાં ઉતરી હતી અને ભારત સામે લો સ્કોરિંગ મેચમા ંપણ જીત મેળવી લીધી હતી. હવે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ન્યુઝીલેન્ડ સેમીફાઇનલમાં ભારત સામે જારદાર દેખાવ કર્યાબાદ તેની પાસેથી પણ જારદાર દેખાવની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારી ગયા બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે પરંતુ ફાઇનલ મેચ જાવા માટે ઉત્સુક છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પહોંચી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે. ઇંગ્લેન્ડની વાત કરવામાં આવે તો ૧૯૯૨ની એડિશન બાદ પ્રથમ વખત અંતિમ ચારમાં પહોંચી છે. છઠ્ઠી વખત ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યા બાદ જીત મેળવીને ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા છ વખતમાં ત્રણ વખત તેની જીત થઇ છે અને બે વખત હાર થઇ છે. આવતીકાલે ફાઇનલમાં રમે તે પહેલા ત્રણ વખત ફાઈનલમાં રમી હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ ક્યારે પણ વિજેતા બની શકી નથી. ૧૯૭૫ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં આમને સામને આવી હતી. ૧૯૭૫માં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી.ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં રોહિત શર્મા, ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તરફથી જાય રૂટ, જેસન રોય, બેયરશોર પણ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. છેલ્લી મેચમાં તેમની બેટિંગ જારદાર રહી હતી. આ તમામ બેટ્‌સમેનો ઉપરાંત કેપ્ટન મોર્ગન અને બેન સ્ટોક્સ પણ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડને વર્લ્ડ કપનો તાજ જીતવામાં હજુ સુધી સફળતા હાથ લાગી નથી. આ વખતે ભારતીય ટીમ સૌથી વધારે ફેવરીટ હતી. જા કે સેમીફાઇનલમાં તેની હાર થઇ ચુકી છે. ઇંગ્લેન્ડના ચાહકો ભારે ઉજવણીના મુડમાં દેખાઇ રહ્યા છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપથી હજુ સુધી વ ંચિત રહી છે. પ્રથમ વખત તેની પાસે પણ કપ જીતવાની તક છે. વિલિયમસન જારદાર ફોર્મમાં છે. જા કે ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુÂપ્ટલ હાલમાં ફોર્મમાં નહીં હોવાથી તેની સામે સમસ્યા થયેલી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ – મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, સ્ટોકસ, વિન્સ, વોક્સ અને માર્ક વુડ.
ન્યુઝીલેન્ડ – વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here