Sunday, June 8, 2025
HomeGujaratહરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ ગુજરાતના યુવાનોને ડ્રગમુક્ત...

હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ હેઠળ ગુજરાતના યુવાનોને ડ્રગમુક્ત કરવા અભિયાન ચલાવાશે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વિશ્વ ગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજજીના શુભાશીષથી હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમદાવાદના હરેકૃષ્ણ મંદિર ખાતે મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલ દ્વારા સમગ્ર રાજ્યના યુવાનોને પ્રેરણા આપવા, જોડવા અને સશક્ત બનાવવા માટે એક જીવંત પ્લેટફોર્મ બનાવવાનો છે. આ કાર્યક્મમાં રાજ્ય અને તેની બહારના ૧,૦૦૦થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાશે એવો એક અંદાજ છે. મંદિરની વેબસાઈટwww.harekrishnmandir.org ઉપર “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવની માહિતી મળી રહેશે.“પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની વિગતો આપતાં હરેકૃષ્ણ મંદિર ભાડજ યુવા સંગઠનના હેડ શ્રી રાસપરાયણ પ્રભુએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાઓ આત્મહત્યા, મોબાઇલ એડીક્શન, વિવિધ વ્યસનો, માનસિક તણાવ, સામાજિક સંબેધોમાં આવતી સમસ્યાઓ, સાયબર સિક્યુરીટી ચેલેન્જ, જેવા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલા રહે છે. યુવાઓને સતાવતી વિવિધ સમસ્યાઓમાંથી બહાર લાવવા હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા મેગા યુવા મહોત્સવ “પરિવર્તન”નું આયોજન કરવામાં આવ્યું છે. “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવના માધ્યમ દ્વારા યુવાઓના દિલમા ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્કારોના સિંચનથી પરિવર્તન લાવવાનો પ્રયત્ન સંસ્થા દ્વારા કરવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ડ્રગ દેશના યુવાનોને કેવી રીતે નષ્ટ કરી રહ્યું છે, તેમ પરિવર્તન એ ડ્રગ વ્યસન સામેની લડાઈ છે અને આમ પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં નવીનતા, સર્જનાત્મકતા અને નેતૃત્વની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે, સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ માટે ગતિશીલ ધરોહર તરીકે પ્રોત્સાહન આપવાનો છે. આ મોટી સમસ્યા સામે લડવાની જવાબદારી સમગ્ર સમાજની છે. ડ્રગ વ્યસન સામેની આ લડાઈમાં આ કાર્યક્રમ એક મહાન સીમાચિહ્નરૂપ બનશે. હરેકૃષ્ણ મંદિર ભાડજના પ્રવક્તા શ્રી શ્યામચરણ પ્રભુએ જણાવ્યું હતું કે “પરિવર્તન”- મેગા યુવા મહોત્સવ કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ એવા યુવાઓને સાંકળી લેવામાં આવશે કે જેઓ નિર્દોષ છે, જેઓ સમાજની બદીઓથી દૂર છે, તેઓ વ્યસનોથી કાયમ માટે દૂર રહે. આજના સંસ્કારી યુવાનો વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે, જેથી તેઓને સામાજીક બદીઓથી બચાવવા એ સમાજના દરેક વર્ગની જવાબદારી છે.આ કાર્યક્રમમાં હરેકૃષ્ણ ચળવળના વરિષ્ઠ જીબીસી સભ્ય, ફિટનેસ ઇન્ફ્લુએન્સર શ્રી અંકિત બૈયાનપુરિયા, અનુભવી અને પ્રેરક વક્તા કર્નલ રાજીવ ભરવાન, મનોચિકિત્સક અને માનસિક સ્વાસ્થ્ય વકીલ ડૉ. સાર્થક દવે, અન્ય લોકોની હાજર રહી કાર્યક્મમાં હાજર યુવાનોને સામાજીક બદીઓથી દૂર રહેવા અને ઉત્તમ સમાજના ઘડતરમાં યોગદાન આપવા પ્રોત્સાહન આપશે.

આ કાર્યક્રમમાં શામેલ હશે:

•સાંજે ૪.૦૦ વાગ્યે – નોંધણી અને પ્રવેશ શરૂ થશે
•સાંજે ૫.૦૦ વાગ્યે – પ્રાર્થના અને આહ્વાન
•સાંજે ૫.૨૦ વાગ્યે – મુખ્ય ભાષણ
•સાંજે ૬.૦૦વાગ્યે – પેનલ ચર્ચા: યુવાનો ક્યાં ખોટા માર્ગે જઈ રહ્યા છે અને વ્યસનો ક્યાં જાય છે
•સાંજે ૭.૩૦વાગ્યે – નાટક અને સ્કીટ
•રાત્રે ૮.૧૫ વાગ્યે – પ્રમોશન
•રાત્રે ૮.૪૫વાગ્યે – નંદલાલ છંગા અને ગ્રુપ દ્વારા સંગીત કાર્યક્રમ

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here