Tuesday, June 17, 2025
HomeIndiaમહાકુંભમાં સનાતન તરફ આકર્ષાયા વિદેશી શ્રદ્ધાળુઓ, 18 દેશોના 296 લોકોને જગદ્ગુરુ સાઈ...

મહાકુંભમાં સનાતન તરફ આકર્ષાયા વિદેશી શ્રદ્ધાળુઓ, 18 દેશોના 296 લોકોને જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી પાસે થી મળી ગુરુ દિક્ષા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અમેરિકા, આયર્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, જાપાન, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોના સૈકાઓ શ્રદ્ધાળુઓ સનાતન સાથે જોડાઈને શાંતિ અનુભવી રહ્યા છે.પ્રયાગરાજ, 14 ફેબ્રુઆરી 2025 – प्रयागરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સનાતન ધર્મે વિશ્વભરના શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષ્યા છે. કુલ 296 વિદેશી શ્રદ્ધાળુઓએ જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી પાસેથી સનાતન ધર્મની ગુરુ દિક્ષા લીધી, જેમાં 197 મહિલાઓ અને 99 પુરુષો સામેલ છે. આ શ્રદ્ધાળુઓ 18 દેશોમાંથી ભારત આવી સનાતન ધર્મ અપનાવ્યો છે, જેમાં મુખ્ય દેશો જેવા કે સંયુક્ત રાજ્ય અમેરિકા (130), કેનેડા (48), જાપાન (25), બેલ્જિયમ (25) અને ઑસ્ટ્રેલિયા (15)નો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમો મહાકુંભ નગર, સેક્ટર 17ના શક્તિધામ શિબિર ખાતે યોજાયા હતા.આજની દુનિયામાં જ્યાં યુદ્ધ, તણાવ, બીમારીઓ, વ્યસન અને પ્રિયજનોના વિયોગના કારણે લોકો શાંતિ શોધી રહ્યા છે, ત્યાં સનાતન ધર્મ તેની સાદગી અને શાંતિને કારણે વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મહાકુંભ નગરના શક્તિધામ શિબિરમાં સૈકાઓ વિદેશી શ્રદ્ધાળુઓએ વિધિવત્ ગુરુ દિક્ષા લીધી અને સનાતન ધર્મ અપનાવ્યો. કેટલાક શ્રદ્ધાળુઓ “ૐ નમઃ શિવાય” અને અન્ય વૈદિક મંત્રો પર નૃત્ય કરતા જોવા મળ્યા, જેમના ચહેરા પર શાંતિ અને સંતોષનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.”વિશ્વભરમાં શાંતિ અને જીવનમાં માર્ગદર્શન માટે સનાતન ધર્મ એક આશાની કિરણ બની રહ્યું છે” – જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવી જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવીએ જણાવ્યું કે સનાતન ધર્મ હજારો વર્ષ જૂનો છે અને આજના તણાવગ્રસ્ત યુવાનોને સાચી દિશા બતાવી શકે છે. એટલા માટે જ વિદેશી લોકો પણ સનાતન તરફ એક આશાની નજરે જોઈ રહ્યા છે, કારણ કે તે જીવનની દોડધામમાં થતા તણાવ, ખોવાના ડર અને વ્યસનોથી મુક્તિ અપાવી, શાંતિ અને આધ્યાત્મિક માર્ગ પર દોરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે સનાતન ધર્મની સહજતા અને સાદગી વિદેશીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રણ વિદેશી શ્રદ્ધાળુઓએ બ્રહ્મચારી દિક્ષા ગ્રહણ કરી. તેમાં જાપાનની એક્યુપંક્ચર નિષ્ણાત રેઇકો હ્યોડો, યુએસએના આઈટી પ્રોફેશનલ જૉન ડેવિડ મિલર અને આયર્લેન્ડના નિર્માણ ક્ષેત્રના નિષ્ણાત ડેવિડ પેટ્રિક ઓ’ગ્રેડીનો સમાવેશ થાય છે. આ લોકો હવે સનાતન ધર્મના મિશનમાં સેવા આપશે અને ચાર ખંડોમાં સનાતન ધર્મના પ્રચાર માટે કાર્ય કરશે. બ્રહ્મચારી દિક્ષા જીવનભર શુદ્ધતા, શિસ્ત અને ગુરુ પ્રત્યે સમર્પણનો સંકલ્પ છે. દિક્ષા ગ્રહણ કરનાર લોકો આત્મ-સાક્ષાત્કાર તરફ આગળ વધે છે અને પોતાનું જીવન સેવા અને સાધનામાં સમર્પિત કરે છે.આ અવસરે, જગદ્ગુરુ સાઈ માતા લક્ષ્મી દેવીએ જણાવ્યું કે બ્રહ્મચારી દિક્ષા ગ્રહણ કરનાર શ્રદ્ધાળુઓ સનાતન ધર્મની શિક્ષણને પોતાના જીવનમાં આત્મસાત્ કરે છે અને તેને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરે છે.મોરિશિયસના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં જગદ્ગુરુ સાઈ માતા છેલ્લા દોઢ દાયકાથી હિંદુ ધર્મના પ્રસાર માટે કાર્યરત છે. વર્ષ 2019માં, સાઈ માતાની પ્રેરણાથી 9 વિદેશી મૂળના શિષ્યોએ સંત પરંપરાને આત્મસાત કરીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને તેઓને મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં આવી હતી, જેમાં ત્રણ મહિલા સંત પણ સામેલ હતાં.સાઈ માતાના ભક્તો દુનિયાભરના 12 થી વધુ દેશોમાં છે, જેમણે હવે હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. જાપાન, અમેરિકા, ઇઝરાયેલ, ફ્રાન્સ સહિત અનેક યુરોપિયન દેશોમાં તેમના ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here