Saturday, June 7, 2025
HomeGujaratગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76 મો પ્રજાસત્તાક દિવસ...

ગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહપૂર્ણ રીતે ઉજવાયો દેશનો 76 મો પ્રજાસત્તાક દિવસ !

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ગણપત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરના વિશાળ પ્રાંગણમાં સવારે પહેલા વંદે માતરમ ગીતનું ગાન થયું ત્યારબાદ યુનિવર્સિટીના પેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ- દાદાના હસ્તે ધ્વજ ફરકાવ્યા બાદ ધ્વજવંદન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈનિક સ્કૂલની કન્યાઓ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાનશક્તિ સ્કૂલ તેમજ મરિન એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ કેડેટ્સ પણ જોડાયા હતા.આ અવસરે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર આર. કે. પટેલ, પ્રો. ડો. સૌરભ દવે, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશ પટેલ, વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટી મંડળના સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર્સ, આમંત્રિત મહાનુભાવો, યુનિવર્સિટી પરિસરમાં રહેતા પરિવારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધ્વજવંદન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.દેશભક્તિની ભાવનાથી છલકાતા હૃદયે પોતાના વિચારો વ્યક્ત કરતા યુનિવર્સિટીના વહાલા ગણપત દાદાએ ઉપસ્થિત મેદનીને સંદેશ આપ્યો કે આઝાદી મળ્યા પછી બંધારણના ઘડવૈયાઓએ દસ મહિના ખૂબ મહેનત કરીને આપણા મૂલ્યવાન બંધારણનું ઘડતર કર્યું અને તેના અમલમાં મુકાયાના દિવસ એટલે કે 26મી જાન્યુઆરીને આપણે આ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આજે આપણે એ ઉત્સવ આપણા વહાલા આઝાદીના લડવૈયાઓ અને બધારણના ઘડવૈયાઓને યાદ કરી વંદન કરવા જોઈએ – પૂજ્ય ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શાસ્ત્રીજી અને બાબા આંબેડકર સહિત અનેક નેતાઓ અને શહીદવીરોનો એમાં સમાવેશ થાય છે. પૂજ્ય દાદા એ પોતાના અમેરિકા ગમનના અવસર ને યાદ કરતા કહ્યું હતું કે ત્યારે પ્રમુખ તરીકે કેનેડીએ અમેરિકાની જનતાને હાકલ કરી હતી કે “તમારા માટે દેશે શું કર્યું, તે નહીં, તમે દેશ માટે શું કર્યું!? – તેનો વિચાર કરો ! ” જે આપણે પણ 2047ના વિકસિત ભારતના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીના સપનાને પૂરું કરવા શું પ્રદાન કરીશું તેનો વિચાર કરવાનો છે ! આ નવા વર્ષના ગણપત યુનિવર્સિટીના કેલેન્ડરનું સેન્ટ્રલ થીમ પણ ” વિકસિત ભારત ” હોવાનું એમણે સ્મરણ કરાવ્યું હતું. ગણપત યુનિવર્સિટીના નવા માસ્કોટના સરસ્વતી અને ગજેન્દ્રનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું કે અમારી યુનિ.નું શિક્ષણ એ “વેલ્યૂ બેઝડ” શિક્ષણ રહે એ પણ ગણપત યુનિવર્સિટીનો એક કાર્ય-મંત્ર રહ્યો છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આ વર્ષે વિદ્યાર્થીઓને પણ સીધા જ સામેલ કર્યા હતા, આ ઉપક્રમમાં (1) ડિઝાઇન ઈન ઇન્ડિયા – ડિઝાઇન ફોર વર્ડ ,( 2 ) ” વિકસિત ભારત “અને (3) આ વર્ષના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત થયેલી થીમના વિષય ” સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ ” ઉપર યુનિવર્સિટી શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એ જ રીતે એ. એમ. પટેલ સ્કૂલ, જ્ઞાનશક્તિ સ્કૂલ, કન્યા સૈનિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિનાં ગીતો રજૂ કર્યા હતા તો કોલેજના વિદ્યાર્થીઓએ ” અશોકા ” નામની કૃતિને માઇમના સ્વરૂપમાં રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છુટા પડ્યા હતા. ઉજવણીનું આ ભવ્ય આયોજન સફળ બનાવવા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અધિકારી શ્રી કમલેશ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here