Sunday, June 8, 2025
HomeGujaratજામનગરના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો...

જામનગરના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાની પાસેથી 10,000 રૂપિયાનું 25,000 રૂપિયા વ્યાજ વસૂલી લીધા પછી વધુ 25,000 ની માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા શંકરભાઈ મનહરલાલ રોહેરા નામના 32 વર્ષના યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે અને વધુ નાણાં પડાવવા અંગે સાધના કોલોનીમાં રહેતા અજય બરછા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીએ આજથી ત્રણ માસ પહેલાં આરોપી અજય બરછા પાસેથી 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના વ્યાજ પેટે 25 હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં હજુ 25,000 જેટલી રકમ આપવી પડશે, તેવી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને પોલીસે ગેરકાયદે વ્યાજ વસુલનાર અજય બરછા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here