Tuesday, June 17, 2025
HomeGujaratAhmedabadદિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! એરપોર્ટે જાહેર કરી એડવાઇઝરી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમયથી પૂરતા વહેલા પહોંચી જવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ‘દિવાળીના તહેવારોમાં એરપોર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે એરપોર્ટમાં ફ્લાઈટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે’

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. અમદાવાદ એરપોર્ટમાં સામાન્ય રીતે દરરોજ સરેરાશ 33,800 મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારમાં મુસાફરોની અવર-જવરનો આંક 80 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી હતી ત્યારે દૈનિક સરેરાશ 33,486 મુસાફર નોંધાયા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here