Wednesday, June 18, 2025
HomeGujaratBhavnagarભાવનગરના હીરાના દલાલની હત્યા, મૃતદેહને સળગાવતા 3 શખ્સ ઝબ્બે

ભાવનગરના હીરાના દલાલની હત્યા, મૃતદેહને સળગાવતા 3 શખ્સ ઝબ્બે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ભાવનગર : શહેરના હાદાનગર વિસ્તાર ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ અલગ જગ્યાએ હીરાની દલાલીનું કામ કરતા યુવાનને તળાજામાં હીરા ખરીદવાની પાર્ટી છે તેમ કહી ત્રણ શખ્સોએ ૧૮ કેરેટના રૂા. ૫.૨૦ લાખના હીરા સાથે કારમાં બેસાડી તળાજા તરફ લઈ જઈ ટુવાલથી ગાળા ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ખળભળાટ થઈ ગયો છે. હત્યા કર્યા બાદ ધરાઈ ગામ નજીક કૃષ્ણનગરથી મોટા દેવળીયા જવાના રસ્તે અવાવરું જગ્યામાં ડીઝલ છાંટી સળગવવા જતા બાબરા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લેતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવની જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર વિસ્તાર ખાતે આવેલ સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને છેલ્લા ૨૦ વર્ષથી અલગ-અલગ જગ્યાએ હીરાની દલાલીનું કામ કરતા ધીરુભાઇ ઉકાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૬) ગઈ કાલ તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઘરેથી નીકળી કિસન પૂર્વે કાનો ઘનશ્યામભાઈ ચુડાસમા (રહે.નારી સરકારી દવાખાના પાસે, ભાવનગર), મનહર ઈશ્વરભાઈ ખસિયા (રહે. જવેલર્સ સર્કલ પાસે, ભાવનગર), રાહુલ રમેશભાઈ પરમાર (રહે. બોર તળાવ પાસે ભાવનગર) સાથે રૂા. ૫,૨૦,૦૦૦ની કિમતના ૧૮ કેરેટ હીરા લઈ કાર નંબર જીજે ૦૪ ૪૦૦૪ માં બેસીને તળાજા ખાતે હીરા વેેંચવા માટે નીકળ્યા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here