Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadનવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 25 થી 27 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી પહેલા વાતાવરણમાં પલટો આવવાથી રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી :
અંબાલાલ પટેલે કહ્યું કે, ’25 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવવાથી 27 થી 30 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આશરે 10 ઈંચ અને રાજ્યના અન્ય બીજા વિસ્તારોમાં 4 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here