Saturday, June 7, 2025
HomeGujaratAhmedabadગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી છે. ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગામના જ બે શખશોએ હત્યાને અંજામ આપ્યો હતો.મોડી રાત્રે બે શખશો મોટર સાયકલ પર આવ્યાં અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં. આ બે વ્યક્તિ શંકર રાઠવા અને રેવજી રાઠવા હોવાનો આરોપ લગાવાયો છે. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાનો મૃતક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતે હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, બંને આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM માટે ક્વાંટ હોસ્પિટલ મોકલાયો છે.સમગ્ર ઘટના બાબતે રામસિંહ રાઠવાએ કહ્યું કે, ‘હાલ ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર્તા હતો. તેને કોઈની સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેના વિશે ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે અને તેને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે.’સમગ્ર હત્યાની તપાસ કરી રહેલાં એસપીએ જણાવ્યું કે, ‘મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ થઈ રહી છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. જેની પીપલદી ગામની નજીકના અન્ય એક ગામમાંથી અટકાયત કરવામાં આવી છે.’આ હત્યાના બનાવથી કોંગ્રેસે ભાજપને ગંભીર સવાલો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ આ વિષય પર વાત કરતાં કહ્યું , આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને છાસવારે આવી ઘટનાઓ બની રહી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here