Wednesday, June 18, 2025
HomeSportsઈજાગ્રસ્ત થવાના કારણે ખેલાડી ઈશાન આગામી બાંગ્લાદેશ સીરિઝમાંથી બહાર થઇ શકે છે

ઈજાગ્રસ્ત થવાના કારણે ખેલાડી ઈશાન આગામી બાંગ્લાદેશ સીરિઝમાંથી બહાર થઇ શકે છે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટર ઈશાન કિશન લાંબા સમયથી નેશનલ ટીમથી બહાર છે. ટીમમાં પુનરાગમન કરવા માટે પસંદગીકારોએ ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. જેને લઈને ઈશાન આગામી દુલીપ ટ્રોફી 2024માં રમવા જઈ રહ્યો હતો.પરંતુ હવે મળતી માહિતી અનુસાર ઈશાન પહેલી મેચમાંથી બહાર થઈ શકે છે. તેનું કારણ ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો છે તેવું મનાઈ રહ્યું છે. જો ઈશાન પહેલી મેચમાંથી બહાર થાય છે, તો તેના પર આ ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ પણ વધી ગયું છે. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. ટીમ-Dમાં કુલ ત્રણ વિકેટકીપર બેટર છે. ઈશાન અને સંજુની સાથે કેએસ ભરતને પણ તક આપવામાં આવી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. અને આ પછી 6 ઓક્ટોબરથી T20 સીરિઝ રમાશે. ઈશાન લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર છે. જો તે ફિટ ન હોય તો આ ટુર્નામેન્ટમાંથી પણ તે બહાર થઇ શકે છે. ઈશાને ભારત માટે તેની છેલ્લી T20 મેચ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અને તેણે છેલ્લી વનડે મેચ ઓક્ટોબર 2023માં રમી હતી. ઈશાન આ મેચ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here