Tuesday, June 17, 2025
HomeIndiaજૂના અખાડા મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે...

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં સમાધિ આપવામાં આવશે. તેમના નિધનથી દેશ-વિદેશમાં તેમના તમામ આશ્રમોમાં શોકની લાગણી ફેલાઇ છે. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રીમહંત ગિરી મહારાજે જૂના અખાડાની તમામ શાખાઓ, આશ્રમો અને પીઠોમાં ત્રણ દિવસનું શોક જાહેર કર્યું છે અને શાંતિ પાઠ કરવાના નિર્દેશ આપ્યા છે.બિહારના રોહતાસ જિલ્લામાં જન્મેલા પાયલોટ બાબાનું મૂળ નામ કપિલ સિંહ હતું. તેઓએ બિહારની બીએચયુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યું હતું. તેઓ બાળપણથી જ આક્રમક સ્વભાવ ધરાવતા હતાં. જેથી તેઓ ભારતીય એરફોર્સમાં પાયલોટ બન્યા હતા. ટુંકા સમયગાળામાં જ પ્રમોશન મેળવી તેઓ વિંગ કમાન્ડરના પદ પર પહોંચ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પહેલાં ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો હતો, ત્યાર પછી બે વાર ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સામેલ થયા હતા. આ યુદ્ધોમાં તેઓએ મહત્ત્વનું ભાગ ભજવ્યું હતું. જે કારણસર તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના વિમાન મિગ-21માં ટેક્નિકલ ખામી આવી ગઇ હતી, આ ઘટનામાં સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી તેમને જીવન પ્રત્યે મોહ ભંગ થઇ ગયો હતો. જે બાદ 1974માં તેમણે રિટાયરમેન્ટ લઇ સન્યાસ ધારણ કર્યું હતું. 1998માં તેમને જૂના અખાડામાં મહામંડલેશ્વરનું પદ મળ્યું અને 2010માં તેમને ઉજ્જૈનના પ્રાચીન શિવગીરી આશ્રમ નીલકંઠ મંદિરમાં પીઠાધીશ્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદી પણ કરતા હતા સન્માન :
સેનાથી નિવૃત્ત થયા બાદ અને તેઓેએ બોલિવૂડમાં ‘એક ફૂલ દો માલી’ જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આધ્યાત્મિક જીવન અપનાવ્યા બાદ તેઓએ પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોયરાલાને દીક્ષા આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત દેશના ઘણાં દિગ્ગજો બાબાનું સન્માન કરતા હતા. પાયલોટ બાબાનું સમગ્ર જીવન વિવાદિત રહ્યું હતું. સેનામાં નોકરી દરમિયાન તેમના પર આદેશ વિરૂદ્ધ પોતાની મરજી ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સન્યાસી બન્યા બાદ પણ તેમના પર ઘણાં આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં 2010ના કુંભના મેળામાં ભક્તોને ગાડીથી કચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. નૈનિતાલમાં તેમના પર જમીન કબજે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે બાબા જેલ પણ ગયા હતા. આટલું જ નહીં, બાબાનું એક સ્ટિંગ ઓપરેશન પણ થયું હતું, જેમાં તેઓ કાળા ધનને સફેદ કરતાં જોવા મળ્યા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here