Thursday, June 19, 2025
HomeSportsટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

ટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ટીમ ઇન્ડિયાની બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ આગામી મહિનાથી શરુ થવાની છે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે જસપ્રીત બુમરાહ આ સિરીઝથી વાપસી કરી શકે છે, તો શક્ય છે કે તમારું અનુમાન ખોટું પડે. કારણ કે રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ તેને હવે બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી ટેસ્ટ સિરીઝથી પણ આરામ આપવાના મૂડમાં છે અને જો આવું થાય તો પછી બુમરાહ હજુ 2 મહિના સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. ભારત પ્રવાસ પર બાંગ્લાદેશ 2 ટેસ્ટની સિરીઝ રમશે, જેને લઈને સમાચાર છે કે બુમરાહ તેનો ભાગ હશે નહીં. જો કે, હજુ આ મુદ્દે કંઈ પણ સત્તાવાર ખબર નથી. બસ રિપોર્ટ્સ છે કે ઘરેલુ કંડીશન અને શમીના કમબેકના કારણે સિલેક્ટર્સ તેને ન રમાડવાનો નિર્ણય કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સિલેક્ટર્સ હજુ બાંગ્લાદેશ વિરુદ્ધ બુમરાહના રમવા અને ન રમવાને લઈને મંથન કરી શકે છે. આવો નિર્ણય ટીમ ઇન્ડિયાના આગળના શેડ્યૂલને લઈને કરવામાં આવી શકે છે. ભારતે આગામી 4 મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે, જેમાંથી 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હશે. દરમિયાન સિલેક્ટર્સ બુમરાહને લઈને સાવધાની રાખતાં જોવા મળી રહ્યા છે. બુમરાહને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી બહાર રાખવાનું કારણ ભારતની સ્પિન ફ્રેન્ડલી પિચ અને મોહમ્મદ શમીની વાપસી પણ હોઈ શકે છે. શમીની વાપસીથી ભારતના પેસ એટેકમાં જે એક અનુભવની ઉણપ હશે તે પૂરી થઈ જશે. દરમિયાન બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here