Thursday, June 19, 2025
HomeIndiaપંજાબના ગામમાં યુપી-બિહારના લોકોને રાતે 9 પછી બહાર ન નીકળવાનું ફરમાન

પંજાબના ગામમાં યુપી-બિહારના લોકોને રાતે 9 પછી બહાર ન નીકળવાનું ફરમાન

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Punjab News: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે રાતે 9 વાગ્યા પછી કોઇ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઇએ.આ ગામમાં લગભગ 2000ની વસ્તી છે જેમાં 500 પ્રવાસી છે. ગામના રહેવાસીઓનું માનવું છે કે જો અહીં રોકાવું છે તો તેમને આ નિયમોનું પાલન કરવું પડશે. ગામમાં અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે.

પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે :

અનેક પ્રવાસી આ એકતરફી નિર્ણયને માનવા મજબૂર છે. તો કેટલાક લોકોએ ગામ જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે. આ ઉપરાંત સિગારેટ પીવી, ગુટખા ખાવા અને પાન મસાલાના ઉપયોગની પરવાનગી નથી. આનાથી તે સડકો પર થૂંકે છે અને ગંદકી ફેલાવે છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here