Monday, June 9, 2025
HomeGujaratઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના 61 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના 61 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Vadodara Rain Update : વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ અને તે ઉપરાંત નર્મદા ડેમમાં સતત પાણી આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ બંને નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે. ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના 36 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસના કરવા નાગરિકોને અપીલ કરાઈ છે. ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા,ઉટીયા મેઢાદના ગ્રામજનો પૂરની બાબતે સાવચેતી રાખે એ હિતાવહ છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here