Sunday, June 8, 2025
HomeGujaratશ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર:પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યામાં...

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર:પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ; 6 કલાકમાં 20 હજાર ભાવિકોએ દાદાના દર્શન કર્યા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા (6 કલાકમાં) સુધીમાં 20 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.


આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે 30 દિવસ અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જીએમ વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા.


પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ
સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રામાં શિવજીના મુખાર વિંદ સાથે પરીસરમાં ફરી હતી. ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવભક્તોએ કરી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here