Wednesday, June 18, 2025
HomeSportsચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત આવશે ટીમ ઈન્ડિયા, બાર્બાડોસના PMએ કહ્યું-જલ્દી જ શરૂ...

ચાર્ટર્ડ પ્લેનથી ભારત પરત આવશે ટીમ ઈન્ડિયા, બાર્બાડોસના PMએ કહ્યું-જલ્દી જ શરૂ થશે એરપોર્ટ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Team India Barbados News: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પોતાના નામે કરી. આ સાથે જ ભારતનો છેલ્લા 17 વર્ષથી T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું પુરુ થયું. ઈન્ડિયન ટીમ ભારત પરત ફરવા માટે ઉડાન ભવાની હતી પરંતુ બાર્બાડોસમાં આવેલા બેરિલ વાવાઝોડાના કારણે ટીમ હોટલમાં જ ફસાય ગઈ છે. તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન જારી કર્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે આપણે રાહ જોવી પડશે. આ દરમિયાન હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં સ્વદેશ વાપસી માટે ઉડાન ભરી શકે છે.
આ દિવસે થશે વાપસી!

ભારતીય ટીમ સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે સાંજે ભારત પરત ફરવા માટે ઉડાન ભરી શકે છે. ત્યાંની પરિસ્થિતિ અંગે અપડેટ આપતાં બાર્બાડોસના PM મિયા મોટલીએ કહ્યું કે અમને આશા છે કે બેરીલ વાવાઝોડાના કારણે બંધ કરાયેલું અહીંનું એરપોર્ટ આગામી 6થી 12 કલાકમાં શરૂ થઈ જશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, સપોર્ટ સ્ટાફ, BCCIના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો બેરીલ વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી હોટલમાં જ ફસાયા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here