Wednesday, June 18, 2025
Homenationalમહિલાઓ પરના નિવેદન પછી નીતીશે હાથ જોડી માફી માગી

મહિલાઓ પરના નિવેદન પછી નીતીશે હાથ જોડી માફી માગી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

પટના : બિહારના સીએમ નીતીશ કુમારે બુધવારે સવારે મહિલાઓ પર કરેલી વાંધાજનક ટિપ્પણી માટે માફી માંગી હતી. નિવેદન આપવાના બીજા દિવસે તેમણે વિધાનસભાની બહાર અને ગૃહમાં અનેકવાર હાથ જોડીને ખેદ વ્યક્ત કર્યો હતો. નીતીશે કહ્યું, ‘જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. હું મારી જાતને નિંદા કરું છું.મને શરમ આવે છે. વસ્તી નિયંત્રણ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. મારો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ પછી વસ્તી વૃદ્ધિમાં આવતા ફેરફારો વિશે કહેવાનો હતો. ‘હું માફી માંગુ છું. હું મારા શબ્દો પાછા લઉં છું, જો મેં જે કહ્યું તે ખોટું હતું, અથવા જો મારાથી કોઈ દુઃખ થયું હોય, તો હું માફી માંગુ છું. આ પછી પણ જો કોઈ મારી ટીકા કરે તો હું તેને અભિનંદન આપું છું. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે, તેમના (નીતીશ કુમાર) થી ભૂલથી આવું બોલાઈ ગયું હશે. તેણે માફી પણ માંગી લીધી છે. ગૃહને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ. મુખ્યમંત્રીએ તેમના શબ્દો પર ખેદ વ્યક્ત કર્યો. મંગળવારે સીએમ નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કેટલીક વાતો પણ કહી જે અમે અહીં લખી શકતા નથી. જ્યારે ભાજપ અને કોંગ્રેસની મહિલા ધારાસભ્યોએ આ બાબતો પર નારાજગી વ્યક્ત કરી તો ડેપ્યુટી સીએમએ કહ્યું- મુખ્યમંત્રીના શબ્દોને સેક્સ એજ્યુકેશન તરીકે લેવા જોઈએ. વિધાન પરિષદમાં બેઠેલી બીજેપી મહિલા સદસ્ય નિવેદિતા સિંહ આ નિવેદન પર રડવા લાગી. તેણીએ કહ્યું કે આજે તે શરમ અનુભવે છે. અહીં રાષ્ટ્રીય મહિલા આયોગે આ નિવેદનની નિંદા કરી છે અને મુખ્યમંત્રીને માફી માંગવા કહ્યું છે. મંગળવારે ગૃહમાં વસ્તી નિયંત્રણ અંગેના મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવેદન પર ભાજપ પ્રહાર કરી રહી છે. જ્યારે ડેપ્યુટી સીએમ તેને સેક્સ એજ્યુકેશનની માહિતી ગણાવી રહ્યા છે ત્યારે ભાજપ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું છે કે તેમનું નિવેદન શેરી મજાક જેવું છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, અન્યથા તેમને બરતરફ કરી દેવા જોઈએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે કોઈ તેમને ખોટી દવાઓ આપી રહ્યું છે. દરભંગાના સાંસદે પણ તેમના રાજીનામાની માંગ કરી છે. અહીં બિહાર બીજેપીએ ટ્વિટર પર લખ્યું છે કે નીતીશ બાબુ જેવા અશ્લીલ નેતા ભારતીય રાજકારણમાં જોયા નથી. નીતીશબાબુના મગજમાં એડલ્ટ ‘બી’ ગ્રેડની ફિલ્મોનો કીડો ઘૂસી ગયો છે. જાહેરમાં તેમના દ્વિઅર્થી સંવાદો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. લાગે છે સંગતની રંગત વધી ગઈ છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here