Saturday, June 7, 2025
HomeGujaratઅમરેલીના વરરાજાની જાન બળદગાડામાં નીકળી

અમરેલીના વરરાજાની જાન બળદગાડામાં નીકળી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વરપક્ષ અને કન્યાપક્ષના ઘર વચ્ચેનું આઠ કિલોમીટરનું અંતર બળદગાડામાં સવાર થઈ કાપ્યું

અમરેલી : લગ્નપ્રસંગે આજકાલ વરરાજા મોંઘીદાટ કાર, વિકટોરિયા ગાડી, વિન્ટેજ કારમાં સવાર થવાનું પસંદ કરતા હોય છે. કેટલાક વરરાજા તો હેલિકોપ્ટરમાં સવાર થઈને પણ પરણવા પહોંચતા હોય છે. પરંતુ, અમરેલીનો એક વરરાજો છે કે, જેની જાન બળદગાડામાં સવાર થઈને પરણવા પહોંચી. ખુદ વરરાજો પણ બળદગાડામાં જ સવાર થયો હતો. મોટી ઉમરના લોકોને તો આ જાન નિહાળી પોતાના સમયમાં નીકળતી જાનની યાદ તાજી થઈ હતી.મિનિ ટ્રેકટર આવી જતા ગામડાઓમાં આજકાલ મોટાભાગના ખેડૂતોએ બળદગાડા રાખવાનું બંધ કરી દીધું છે. એવામાં મૂળ સાવરકુંડલાના દિતલા ગામના અને હાલ સુરતમાં રહેતા ડોબરિયા પરિવારે પોતાના પુત્રની જાન બળદગાડામાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ડોબરિયા પરિવારના સભ્યોએ ત્રણ મહિના પહેલાથી જ ગાડાને શણગારવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભૂતકાળમાં બળદગાડામાં જાન નીકળતી ત્યારે જે રીતે ગાડા અને બળદને શણગારવામા આવતા તે જ રીતે ડોબરિયા પરિવારે ગાડા અને બળદને શણગાર્યા હતા.ડોબરિયા પરિવારનું મૂળ ગામ દિતલા છે ત્યાંથી કન્યાપક્ષનું નેસડી ગામ 8 કિલોમીટરના અંતરે જ આવેલું છે. જાનમાં સામેલ થયેલા લોકો અને ખુદ વરરાજાએ 9 જેટલા ગાડામાં સવાર થઈ આ અંતર કાપ્યું હતું.હેનિલ ડોબરિયા કે જેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોતાના પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલો છે. હેનિલે તેના દાદા પાસે સાંભળેલું કે પહેલાના સમયમાં બધા લોકો બળદગાડા અને ઘોડા પર સવાર થઈને પરણવા જતા. હેનિલે પણ પોતાના પરિવારજનો પાસે પોતાની જાન ગાડામાં લઈ જવાની ઈચ્છા વ્યકત કરી તો તેના પરિવારજનોએ પુત્રની ઈચ્છા હર્ષભેર વધાવી લીધી અને ગાડાને શક્ય એટલો જૂનવાણી ટચ આપવાનો પ્રયાસ કર્યો.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here