Wednesday, August 13, 2025
HomeWorldઅમેરિકાની યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા

અમેરિકાની યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

વોશિંગ્ટન: અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે.આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ હ્યુમાનિટીના ફિલોસોફી વિભાગમાં હિંદુ અને જૈન ધર્મના અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે. ૨૦૨૧માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે.યુનિવર્સિટીની જાહેરાતમાં જણાવાયું હતું કે હિંદુ તથા જૈન સમાજ સાથે કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીની ભાગીદારીથી શરૂ કરાયેલા આ વિભાગ દ્વારા હાલના અને ભવિષ્યના વિદ્યાર્થીઓને બંને ધર્મમાં જણાવાયેલ અહિંસા, ધર્મ, ન્યાય, ફિલોસોફી, દરેકનું એકબીજા સાથેનું જોડાણ અને હિંદુ-જૈન શાસ્ત્રો દ્વારા પર્યાવરણની જાળવણી, માન્યતા અને પરંપરા વિશેનું જ્ઞાન આપવામાં આવશે.આ સિવાય, આ વિભાગ દ્વારા હિંદુ અને જૈન ધર્મના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ, સ્ટિપેન્ડ્સ અને રિસર્ચ માટે ફંડ સહિત બધી રીતે મદદ કરશે. જે પ્રોફેસર આ વિભાગ સંભાળશે એને સંશોધન અને શૈક્ષણિક પ્રકાશન માટે, કોન્ફરન્સ, પ્રવાસ અને અન્ય કાર્યક્રમો માટે ફંડ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here