Thursday, June 19, 2025
HomeGujaratપાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

પાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરનાર અરજદારે પોલીસ વેરીફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશન જવું પડતું હતું. ગૃહવિભાગે ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કર્મચારીઓને મોબાઈલ એપનાં માધ્યમથી પોલીસ વેરીફિકેશન અરજદારોનાં ઘેર જઈને કરવાની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અરજદારોને હવે પોલીસ સ્ટેશન જવાનો ધક્કો બંધ થયો છે.અત્યાર સુધી અરજદાર પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટની અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશનના કાગળ જતા હતા. આ કાગળો પોલીસ સ્ટેશન આવ્યા બાદ અરજદારને ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી તેમના ફોટોગ્રાફ અને સહી લઈ ફોર્મ જમા કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા વેરિફિકેશ કર્યા બાદ પોસ્ટ મારફતે પાસપોર્ટ અરજદારના ઘરે મોકલવામાં આવતો હતો. પરંતુ આ નવી સુવિધા મુજબ હવે પોલીસ કર્મચારી અરજદાના ઘરે જશે તેના જરૂરી દસ્તાવેજો સ્કેન કરી તેના ગુનાહિત ઈતિહાસની તપાસ કરશે. આમ હવે આ કામગીરી ખુબ સરળ અને ઝડપી બનશે.પાસપોર્ટ વેરીફિકેશન વખતે ઈ-ગુજકોપની પોકેટ કોપ મોબાઈલ એપમાં પોલીસ કર્મચારી જે તે અરજદારનું પુરૂ નામ નાખીને ગુનાની માહીતી અંગે સર્ચ કરશે ત્યારે ગુજરાતમાં રહેતાં તે નામના તમામ અરજદારોની કોઈપણ ગુનો સંબંધી માહીતી ઓટોમેટીક જનરેટ થશે.જેનાં કારણે પોલીસ વિભાગને ગુનેગારોને શોધવા માટે અનેક ફાયદા થશે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here