Wednesday, June 18, 2025
HomeIndia'13-14 કરોડની વસતી છે, કંઈક ને કંઈક થયા કરે…' લઠ્ઠાકાંડ પર NDAના...

’13-14 કરોડની વસતી છે, કંઈક ને કંઈક થયા કરે…’ લઠ્ઠાકાંડ પર NDAના કદાવર નેતાનું વિવાદિત નિવેદન

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

Jitan Ram Manjhi Controversial Statement: વિવાદિત નિવેદનો માટે ફેમસ કેન્દ્રીય મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ સીવાન અને સારણ(છપરા)માં દારૂથી લગભગ ત્રણ ડઝન લોકોના મોતના સવાલ પર રાજ્યની 13-14 કરોડ વસતીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ‘કંઈક ને કંઈક થતું રહે છે. આ પ્રકારની ઘટના થતી રહે છે. બે વર્ષ પહેલા ડિસેમ્બર 2022માં જ્યારે છપરામાં ઝેરીલા દારૂથી 70થી ઉપર લોકોના મોત થઈ ગયા હતા, ત્યારે રાજ્યમાં દારૂબંધી લાગુ કરનાર સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે જે પીશે, તે મરશે જ.’ સીવાન અને સારણમાં ચાર-પાંચ દિવસોમાં ઝેરીલા દારૂથી ત્રણ ડઝન લોકોના મોત થયા છે અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ છે. સીવાનમાં સૌથી વધુ મોત થયા છે.

જીતનરામ માંઝીએ કહ્યું, ‘બિહાર સરકાર આમાં ખૂબ તત્પરતાથી કામ કરી રહી છે, જે પણ ઘટનાઓ માટે દોષી હોય છે, તેને આ લોકો પકડે છે. અવાર-નવાર આ પ્રકારની ઘટના થાય છે. 13 કરોડ, 14 કરોડ વસતી છે. ક્યાંકને ક્યાંક કંઈ થઈ જાય. માત્ર બિહારની વાત નથી, અન્ય સ્થળોમાં પણ આ પ્રકારની વાત આવે છે.’ માંઝીના પુત્ર સંતોષ સુમન માંઝીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના લોકો જ દારૂ વેચાવી રહ્યા છે. સંતોષ સુમન હિંદુસ્તાની આવામ-મોર્ચા-સેક્યુલર(હમ)ના અધ્યક્ષ છે અને નીતીશ સરકારમાં મંત્રી છે.

દારૂબંધીની નિષ્ફળતાને ઝેરીલા દારૂના વેચાણથી જોડતાં તેજસ્વી યાદવ, અખિલેશ પ્રસાદ સિંહ, પ્રશાંત કિશોર જેવા વિપક્ષી નેતાઓએ તંત્ર, પોલીસ અને દારૂ માફિયાની મિલીભગતને આ માટે જવાબદાર ગણાવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉત્પાદન વિભાગ, દારૂબંધી પોલીસને પ્રભાવિત વિસ્તારોમાં તપાસ અને કાર્યવાહી માટે મોકલ્યા છે. ડીજીપી આલોક રાજ પણ મામલાની તપાસ અને શંકાસ્પદ લોકોની ધરપકડ પર નજર રાખી રહ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here