Sunday, June 8, 2025
HomeGujaratસુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત

સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સુરત : સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ગૌરી ગણેશ તથા અન્ય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે હવે આનંદ ચૌદશ હોવાથી શહેરના તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ઘટતી સુવિધા પણ ઉભી થઈ રહી છે. એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકાના નવું ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નંબર-60(પુણા), ફાઇનલ પ્લોટ-આર-45 પર કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે થયેલા 35.49 લાખના ખર્ચ સામે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 (મજૂરા-ખટોદરા) ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે. આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ ઉપરાંત અન્ય મળી કુલ 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here