Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadશિષ્યવૃત્તિ મેળવવાની અઘરી પ્રોસેસથી કંટાળ્યા વાલીઓ, વિદ્યાર્થીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન

શિષ્યવૃત્તિ મેળવવાની અઘરી પ્રોસેસથી કંટાળ્યા વાલીઓ, વિદ્યાર્થીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો.6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.

શિષ્યવૃત્તિ મેળવવાની અઘરી પ્રોસેસ :
શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી, લાઈનમાં ઊભા રહ્યા બાદ મહા મુસીબતે આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા થાય છે, વિદ્યાર્થીનું ખાતું બેન્ક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બેન્કમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે.

E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ :

- Advertisement -

ડીઝીટલ ગુજરાતની સાઈટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સુચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે,ફરી વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે છે. રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટિક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૃવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here