Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadવેકેશન પૂરું થતાં જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો, વાલીઓમાં રોષ

વેકેશન પૂરું થતાં જ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો, વાલીઓમાં રોષ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

સ્કૂલ વાન અને રિક્ષા ડ્રાઈવર અસોસિએશને સ્કૂલો ખુલવાના એક દિવસ પહેલા જ સમગ્ર રાજ્યમાં વાન અને રિક્ષાના ભાડામાં વધારો જાહેર કર્યો છે. સ્કૂલ રિક્ષાના ભાડામાં 50 રૂપિયા અને સ્કૂલ વાનના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉનાળા વેકેશન દરમિયાન પણ બે મહિનાનું ભાડું ચૂકવતા વાલીઓએ આ વધારો અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે, રૂપિયા ચૂકવ્યા પછી પણ બાળકોની સુરક્ષાની કોઈ ખાતરી નથી મળતી.અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે કહ્યું કે, “બે વર્ષ પછી સ્કૂલ વાનના ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ છે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, મેન્ટેનન્સ પાછળનો ખર્ચો, ઈન્શ્યોરંસ ચાર્જ, જીવન નિર્વાહ ખર્ચ, ડ્રાઈવર્સનો પગાર અને સરકારના આદેશ પ્રમાણે જરૂરી એવા સ્પીડ કંટ્રોલર ઈન્સ્ટોલ કરવાનો ખર્ચ. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને જ ભાડું વધારવામાં આવે છે. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે સરકાર વળતર ચૂકવે છે પરંતુ જો અન્ય કોઈ લાભ કે વીમાના પ્રીમિયમમાં છૂટ આપે તો અમે સારી રીતે કામ કરી શકીએ.”અસોસિએશન દ્વારા છેલ્લે 2016માં ભાવ વધારવામાં આવ્યા હતા. અમદાવાદ સ્કૂલ વર્ધી અસોસિએશનમાં 6,500થી વધારે સ્કૂલ રિક્ષાચાલક અને 5,500 સ્કૂલ વાન ડ્રાઈવર્સ સભ્યો છે. નીરજ અગ્રવાલનો પુત્ર મહારાજા અગ્રસેન અને દીકરી સહજાનંદ સ્કૂલમાં ભણે છે. અગ્રવાલે જણાવ્યું કે, “આ લોકો દર વર્ષે ભાવ વધારે જ છે. મારા દીકરાની સ્કૂલ ઘરથી 4 કિમીના અંતરે જ છે, તેના માટે મે ગયા વર્ષે સ્કૂલ વાનના 1100 રૂપિયા આપ્યા હતા. એક તરફ સ્કૂલ ફી કમર તોડી નાખે છે ત્યારે બીજી તરફ વાનના ભાવ વધતાં મુશ્કેલી વધી છે.”નીરજ અગ્રવાલે ઉમેર્યું કે, “ઉનાળા વેકેશનમાં પણ વાનવાળા બે મહિનાનું ભાડું વસૂલે છે. નક્કી કરાયેલી મર્યાદા 8 બાળકોની હોવા છતાં તેઓ વાનમાં 12 બાળકોને બેસાડીને લઈ જાય છે. ઉપરથી બાળકની સુરક્ષાની તો ખાતરી નથી આપતા.” દિવ્યપથ સ્કૂલના વાલી ધવલ જાનીએ કહ્યું કે, “પેરેન્ટ્સ પાસે તેમના પર લાદવામાં આવતો ભાવ વધારો સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી. આ એક પ્રકારની ધાક ધમકી છે કારણ કે તેઓ જાણે છે કે પેરેન્ટ્સ સ્વીકારી જ લેશે. અને નિયમ કરતાં વધારે બાળકોને બેસાડીને કાયદો પણ તોડે છે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here