Tuesday, June 17, 2025
HomeEntertainmentBollywoodવિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યા ઉજ્જેનના મહાકાલેશ્વર મંદીરે, ભસ્મ આરતીમાં પણ સામેલ...

વિરાટ કોહલી અને અનુષ્કા પહોંચ્યા ઉજ્જેનના મહાકાલેશ્વર મંદીરે, ભસ્મ આરતીમાં પણ સામેલ થયા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

ઈન્દોર ટેસ્ટ ત્રણ દિવસમાં જ પુરો થયો હતો અને તેમા ભારતીય ટીમની હાર થઈ હતી. આ હાર બાદ આજે ભારતીય ક્રિકેટર કોહલી અને અનુષ્કા શર્મા વહેલી સવારે પ્રખ્યાત ઉજ્જેનના મહાકાલેશ્વર મંદીરે પહોંચ્યા હતા. બંનેએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વિરાટ અને અનુષ્કા પહોંચ્યા મહાકાલના દર્શને

ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર ટેસ્ટ મેચમાં ભારતને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશાને થોડો આંચકો લાગ્યો છે. હવે ભારતીય ટીમ પાસે અમદાવાદ ટેસ્ટ મેચ જીતીને આસાનીથી ફાઇનલમાં પહોંચવાની તક છે. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ અને અનુષ્કા આજે વહેલી સવારે મહાકાલના  મંદીરે હાજરી આપી હતી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here