Friday, June 20, 2025
HomeGujaratAhmedabadલોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ...

લોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ કરી રહી હતી સેમ્પલ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ બની છે. જેમાં દિલ્હી આઇઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલી સુરભિ વર્માનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યામા દિક્ષીત નામની મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલાઓ ગત ત્રણ દિવસથી લોથલમાં આર્કિયોલોજિસ્ટ સાઇટની હદ પછીના વિસ્તારમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહી હતી. તેમની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ હાજર હતા. વાત જાણે એમ છે કે યામા દિક્ષીત અને સુરભિ વર્મા આઇઆઇટી દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એટ્મોસ્ફિયરિક સાયન્સમાંથી પીએચડીઓ અભ્યાસ કરે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી લોથલમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટના ભાગરૂપે તેઓ આજે સવારે તેઓ લોથલ નજીક સરગવાડા નજીક એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી અને સુરભિ વર્માનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલા યામા દિક્ષીતને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, ફાયર અને પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળે ગોડી આવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમણે બગોદરા સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે સુરભી વર્માના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક સુરભિ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના સિતાપુરની રહેવાસી છે અને તેણે ગત વર્ષે આઇઆઇટી દિલ્હીમાં એડમિશનલ લીધું હતું. ત્યારબાદ રિસર્ચ પ્રોજેક્ટ અંતગર્ત તે લોથલ નજીક જિઓલોજિકલ સેમ્પ્લ કલેક્ટ કરવા આવ્યા હતા. આ દરમિયાન દુર્ઘટનામાં સુરભિ વર્મા મોતને ભેટી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here