Saturday, June 7, 2025
HomeGujaratરાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે ટ્રાફિક, હાઇવેને બાયપાસ...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે ટ્રાફિક, હાઇવેને બાયપાસ કરાશે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ પર ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતાં લાખો વાહનચાલકોને સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પાસે નીકળતાં આ હાઇવે પાસે નડે છે. આ અન્વયે હવે આ રસ્તો માત્ર ચોટીલામાં જવા માટે રહેશે અને રાજકોટથી સીધા અમદાવાદ કે અમદાવાદથી સીધા રાજકોટ જવા ઇચ્છતા વાહનો માટે આટલી જ સાઇઝનો નવો હાઇવે ચોટીલાને બાસપાય કરીને બનાવવા પ્રક્રિયા શરુ થઈ છે. મળતી માહિતી અનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કૂલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે. ઉલ્લેખનીય છે કે ચોટીલા ડુંગરે દર પૂનમના દિવસે 1થી 2 લાખ યાત્રિકો આવતા હોય છે, દર રવિવારે પણ પચાસ હજારથી એક લાખ અને તહેવારોમાં પણ આટલી મેદની રહેતી હોય છે જેના કારણે અહીં લગભગ રોજ એક કિલોમીટરનો ગીચ ટ્રાફિક જામ સર્જાય છે. આમ, રાજકોટ-અમદાવાદ એક્સપ્રેસ રોડને બદલે આ સ્થળે ગાડા માર્ગ કરતાં વધુ ધીમો પડી જાય છે. જોકે, આ રોડના કામ માટે જો કે હજુ સરકારમાંથી મંજૂરી મંગાઈ છે અને મંજૂરી બાદ તેની કામગીરી આગળ વધશે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here