Thursday, June 19, 2025
HomeIndiaમોહમ્મદ યૂનુસે PM મોદી સાથે ફોન પર વાત કરી : બાંગ્લાદેશના હિન્દુઓની...

મોહમ્મદ યૂનુસે PM મોદી સાથે ફોન પર વાત કરી : બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા થયા બાદ હિન્દુઓની સુરક્ષા અંગે ભારતીયો ચિંતિત હતા, જોકે હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે મહત્વનો સંદેશ મોકલ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન વાત કરી છે અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષાનો ભારતને વિશ્વાસ આપ્યો છે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે.વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસનો ફોન આવ્યો હતો. તેમણે મારી સાથે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ભારતે પણ બાંગ્લાદેશની લોકશાહી, સ્થિરતા, શાંતિ અને પ્રગતિ માટે સમર્થન આપ્યું છે. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે.’

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here