Friday, August 8, 2025
HomeWorldમોદી અને ઇમરાન ઇચ્છે તો મધ્યસ્થતા કરી શકે છે

મોદી અને ઇમરાન ઇચ્છે તો મધ્યસ્થતા કરી શકે છે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

વોશિગ્ટન,તા. ૨
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના જારદાર વિરોધ છતાં ફરી એકવાર કાશ્મીર મુદ્દે નિવેદન કરીને ચર્ચા જગાવી છે. ટ્રમ્પે કહ્યુ છે કે જા ભારત ઇચ્છે તો તેઓ દરમિયાનગીરી કરી શકે છે. ટ્રમ્પે કહ્યુ છે કે આ બાબત પૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાન પર આધાર રાખે છે. કાશ્મીર મામલાને ઉકેલી દેવા માટે ભારત અને પાકિસ્તાન કોઇની મદદ લેવા માટે ઇચ્છુક છે કે કેમ તે બાબત તેમના પર આધારિત છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પર આ બાબત પૂર્ણ રીતે આધારિત છે. ટ્રમ્પે કહ્યુ છે કે જા બંને દક્ષિણ એશિયન દેશો ઇચ્છે તો તેમની મદદ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે હાલમાં જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વોશિગ્ટનમાં વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે તેઓ મધ્યસ્થતા માટે કામ કરવા માટે તૈયાર છે. એ વેળા ટ્રમ્પે એમ કહીને ચર્ચા જગાવી હતી કે આ મામલે બંને દેશો વચ્ચે વાતચીત થઇ ચુકી છે. એકબાજુ ધારણા પ્રમાણે જ પાકિસ્તાને આ ઓફરનુ તરત જ સ્વાગત કર્યુહતુ. જ્યારે ભારતે આ ઓફરને ફગાવી દીધી હતી. ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે આ મુદ્દા પર ભારત સાથે વાતચીત થઇ છે. મિડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પને કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જા કે ટ્રમ્પે કહ્યુ હતુ કે આ બાબત મોદી પર આધારિત છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે મોદી અને ઇમરાન સારી વ્યÂક્ત છે. તેઓ ઇચ્છે છે કે બંને સાથે મળીને સારી કામગીરી અદા કરે. કાશ્મીરનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. કાશ્મીર મુદ્દો કઇ રીતે ઉકેલશે તે અંગે પુછવામાં આવતા તેમને કોઇ વાત કરી ન હતી. કાશ્મીરના મામલે વાત કરીને ટ્રમ્પ હાલમાં ફસાઇ ગયા હતા. ભારત સહિત અમેરિકામાં પણ તેમની વ્યાપક ટિકા થઇ હતી. તેમની પાર્ટીના લોકો પણ નારાજ દેખાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here