Wednesday, June 18, 2025
HomeIndiaભારતના 'રતન'ની વિદાય:રતન ટાટાની અંતિમ યાત્રા વરલીના સ્મશાનગૃહ માટે નીકળી; શાહ, અંબાણી,...

ભારતના ‘રતન’ની વિદાય:રતન ટાટાની અંતિમ યાત્રા વરલીના સ્મશાનગૃહ માટે નીકળી; શાહ, અંબાણી, બિરલા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય-સંબંધિત બિમારીઓથી પીડાતા હતા.તેમનો પાર્થિવ દેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. અહીંથી તેમની અંતિમ યાત્રા વરલી શમશાન ઘાટ માટે રવાના થઈ. અહીં સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુકેશ અંબાણી અને કુમાર મંગલમ બિરલા સહિત રાજકારણ, રમતગમત અને વ્યવસાયની ઘણી હસ્તીઓએ ટાટાને શ્રદ્ધાંજલિ આપી.પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને 2 દિવસ પહેલા 17 ઓક્ટોબરે ICUમાં દાખલ કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, તેમણે પોતે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ઠીક છે અને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here