Tuesday, June 17, 2025
Homenationalભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

ભક્ત બની આવ્યા લૂંટારૂઓ, પૂજારીની કાર અને દાનની રકમ લઈ ફરાર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી લગભગ 70 કિમી દૂર કેટલાક લૂંટારૂઓએ નાટકીય રીતે એક મંદિરના પૂજારી પાસેથી લાખો રૂપિયાની રકમ અને લક્ઝરી કાર લૂંટી લીધી. બિદનાગિરી સત્ય શનેશ્વર સ્વામી મંદિરમાં પ્રબંધકનું કામ કરનારા પૂજારીને લૂંટારૂઓએ ભક્ત બનીને લૂંટી લીધા.લૂંટારૂઓએ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે મંદિરના ધનંજય સ્વામી પોતાની સાથે દાનની લગભગ 25 લાખ રૂપિયાની રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા. બદમાશોને પહેલાથી જ આ વાતની જાણ હતી તેવી શંકા સેવાઈ રહી છે. તેમણે ફિલ્મી અંદાજમાં પૂજારીને લૂંટવાની યોજના બનાવી હતીરિપોર્ટ્સ મુજબ શનિવાર ( 9 જૂને) રાત્રે લગભગ 10 વાગ્યે 6 બદમાશ એક નવી કારમાં આવ્યા અને તેમણે સ્વામીને ઘરે જતા સમયે રસ્તામાં રોકી લીધા. લૂંટારૂઓએ ભક્ત તરીકે સ્વામીને તેમનો પરિચય આપ્યો અને આગ્રહ કર્યો કે નવી કારને માળા પહેરાવીને પૂજા કરી આપેઆ બાદ સ્વામીજી લૂંટારૂઓની જાળમાં ફસાઈ ગયા અને તેઓ કારની પૂજા કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા. ધનંજય સ્વામીએ કારની નીચે પગ મૂક્યો એટલામાં જ બદમાશોએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી. આ બાદ સ્વામીના ડ્રાઈવર અને બાકીને બે લોકોને ધમકી આપીને કારમાંથી ઉતારી દીધા. બદમાશો સ્વામીના કારમાં સવાર થઈ ગયા અને થોડી જ વારમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here