Monday, June 9, 2025
HomeGujaratબળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડોદરા : વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી કેરોલ પર છૂટ્યા બાદ ભાગી છુટતા તેને ગાંધીનગરના અંતરિયાળ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા સગીરા પર બળાત્કારના ગુનામાં નરેન્દ્ર સિંહ જેનસિંગ ચૌહાણ (ધોળાકુવા કોસમ કપડવંજ મૂળ રહે. દોલતપુરા લવાડ, દહેગામ,ગાંધીનગર) સામે કેસ ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 300 દિવસની જેલ ભોગવવાનો આદેશ હતો.ગઈતા.3 ઓગસ્ટે સાત દિવસની પેટ્રોલ પર છૂટેલા કેદીને તા.11મીએ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ કરી હતી. જે દરમિયાન કેદીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દહેગામના દોલતપુરા નવાડ ખાતેથી ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here