Sunday, June 8, 2025
HomeGujaratAhmedabadપેલેડિયમ અમદાવાદે શહેરના મહાનુભાવો માટે બ્રિલેર શોકેસનું આયોજન કર્યું

પેલેડિયમ અમદાવાદે શહેરના મહાનુભાવો માટે બ્રિલેર શોકેસનું આયોજન કર્યું

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

અમદાવાદ : ગુજરાતમાં વૈભવ અને શાન-શૌકતનું પ્રતીક એવા પેલેડીયમ અમદાવાદે હાલમાં જ એક વિશિષ્ટ બ્રિલેર પ્રોડક્ટ શોકેસનું આયોજન કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદના 50 મહાનુભાવો અને ઈન્ફ્લુએન્સર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમને જાણીતી મનીષા કથુરિયાએ વ્યક્તિગત રીતે આમંત્રિત કર્યા હતા.આ કાર્યક્રમમાં બ્રિલેરની તાજેતરની સ્કિનકેર અને હેરકેર પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે પ્રાકૃતિક, અસરકારક અને સમગ્ર સૌંદર્ય ઉકેલો પ્રત્યે બ્રિલેરની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. મહેમાનોને કમ્પ્લિમેન્ટરી બ્યુટી કેર સેશન સાથે મજબૂત અનુભવ આપવામાં આવ્યો, જ્યાં બ્રિલેરના નિષ્ણાતો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન અને જીવંત ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યા.આ સાંજને વધુ સુમેળભર્યું બનાવતા, પોલ્ટ દ્વારા ખાસ તૈયાર કરેલ ગૌરવમય હાઈ ટી હતી, જે વૈભવી વાતાવરણ સાથે સુંદર રીતે મેળ ખાતી હતી.આ આનંદદાયી અનુભવ માત્ર અહીં પૂરતો મર્યાદિત ન રહ્યો. પેલેડિયમ અમદાવાદ, જે પ્રીમિયમ બ્રાન્ડ્સ અને વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે, મહેમાનોને પોતાના મનગમતા લક્ઝુરિયસ સ્ટોર્સમાં શોપિંગ કરવાનો પ્રેરક સંદેશ આપ્યો. મહેમાનોએ પેલેડિયમ ના મશહૂર રેસ્ટોરન્ટ્સમાં ભોજન પણ માણ્યું, અને આ સાંજ સૌંદર્ય, ગૌરવ અને શોપિંગના આનંદનો અનોખો સમન્વય બની રહી.મનીષા કથુરિયા, જેમણે આ કાર્યક્રમ માટે વિશિષ્ટ મહેમાનોને આમંત્રણ આપ્યું હતું, તે જણાવે છે, “અમદાવાદના મહાનુભાવોને આ ઉત્કૃષ્ટ શોકેસ માટે એકસાથે લાવવું મારા માટે માનની વાત હતી. બ્રિલેરના પ્રોડક્ટ્સે તમામનું મન જીતી લીધું, અને સૌંદર્ય, ઉત્તમ ભોજન અને શોપિંગનો સંમિલન તે સાંજને યાદગાર બનાવી ગયો.”ગુજરાતનું એકમાત્ર પ્રીમિયમ લાઇફસ્ટાઇલ મોલ પેલેડિયમ અમદાવાદ વૈભવનું પ્રતિક છે, જ્યાં લક્ઝુરિયસ શોપિંગ, ગૌરવમય ભોજન અને અનોખા કાર્યક્રમો સાથે શ્રેષ્ઠ અનુભવો એકઠા થાય છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here