Friday, June 20, 2025
HomeIndiaદિલ્હી દારૂ કૌભાંડમાં સિસોદિયા બાદ કવિતાને પણ જામીન: 5 મહિના બાદ જેલથી...

દિલ્હી દારૂ કૌભાંડમાં સિસોદિયા બાદ કવિતાને પણ જામીન: 5 મહિના બાદ જેલથી બહાર આવશે BRS નેતા, EDને ઝટકો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

દિલ્હી : દિલ્હીના કથિત દારુ કૌંભાંડમાં આપ નેતા મનીષ સિસોદિયાને 19 મહિના બાદ જામીન મળ્યા બાદ હવે અન્ય એક આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કવિતાને પણ સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે 10 લાખના જામીન બોન્ડ પર અમુક શરતોને આધીન જામીન આપ્યા છે. કવિતાનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેમજ પુરાવા સાથે છેડછાડ ન કરવા નિર્દેશ કર્યો છે.જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જામીન આપતાં સ્પષ્ટતા આપી છે કે, મેરિટ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. જેથી ટ્રાયલ પર કોઈ અસર નહીં પડે. કવિતા આશરે 5 મહિનાથી જેલમાં બંધ હતા. ઈડી અને સીબીઆઈએ સિસોદિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તરફથી કવિતાની ભૂમિકા પણ કથિત દારુ કૌંભાંડમાં મહત્ત્વની હોવાનું જણાવ્યું છે. તપાસ એજન્સીઓએ જામીન અરજીનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, બીઆરએસ નેતા કવિતાએ મોબાઈલ ફોન ફોર્મેટ કરી કીધો છે, અને પુરાવા સાથે છેડછાડ કરી છે. જ્યારે કવિતાએ કહ્યું કે,મોબાઈલ ફોન ફોર્મેટ કરવાનો આરોપ ખોટો છે. સુપ્રીમ કોર્ટે સામે તપાસ એજન્સીઓને પ્રશ્ન કર્યો છે કે, તમારી પાસે શું પુરાવો છે કે, બીઆરએસ નેતા કવિતા આ ગુનામાં સંડોવાયેલા છે.કવિતા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જામીનની અપીલ કરતાં કહ્યું કે, કવિતા વિરૂદ્ધ બંને એજન્સીઓએ તપાસ પૂર્ણ કરી છે. બંને મામલામાં આરોપી અને આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાના સુપ્રીમ કોર્ટનો હવાલો પણ આપ્યો હતો.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here