Tuesday, June 17, 2025
Homenationalટ્રેન મુસાફરી પહેલા સામાનનું વજન કરી લેજો, પેનલ્ટી લાગી શકે છે

ટ્રેન મુસાફરી પહેલા સામાનનું વજન કરી લેજો, પેનલ્ટી લાગી શકે છે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વિમાન યાત્રાની જેમ હવે રેલવે યાત્રા પહેલા સામાનનું વજન કરી લેવું પડશે. જો નિશ્ચિત માપ કરતા વધુ વજન હશે તો તમારે 6 ગણો વધુ દંડ ભરવો પડી શકે છે. મહત્વપૂર્ણ એ છે કે રેલવે યાત્રા કરીને દરેક શ્રેણીના મુસાફરો માટે સામાન લઈ જવા માટે નિશ્ચિત કરેલું વજન પણ અલગ-અલગ છે. જો તમારી પાસે નક્કી કરેલી સીમા કરતા વધુ સામાન હોય તો યોગ્ય છે કે તેને પાર્સલ રુપમાં જમા કરાવી લો તમારે માત્ર સામાન્ય ભાડું જ ચુકવવું પડશેઈન્ડિયન રેલવેના એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈ પણ ક્લાસમાં મુસાફર મફતમાં સામાન લઈ જવાની મંજુરી છે, આ બાબતે રેલવેના જૂના નિયમો છે. 2006માં તો આ બાબતે પરિપત્ર પણ બહાર પડાયો હતો પણ તેને સખત રીતે લાગુ નથી પડાતો. પણ જ્યારે યાત્રીઓની ફરિયાદ આવી તો કેટલાક યાત્રીઓએ કહ્યું કે કેટલાક મુસાફરો વધારે સામાન કોચમાં લઈને આવે છે, જેના કારણે તેમને મુશ્કેલી પડે છે. આ પ્રકારની ફરિયાદો પછી જૂના સર્ક્યુલરને લાગું કરી દેવામાં આવે છે અને આ દિવસમાં તેવા મામલામાં દંડ ચુકવવો પડે છે.રેલવે અધિકારીઓનું કહેવું છે કે, રેલવેના નિયમોમાં એવી પણ વ્યવસ્થા છે કે બુકિંગ ચાર્જ આપીને પણ એક નક્કી સીમાનો સામાન લાવી શકાય છે. રેલવેના જણાવ્યા પ્રમાણે હાલના નિયમો પ્રમાણે એસી ફર્સ્ટ ક્લાસના યાત્રીઓ 70 કિલોગ્રામ, AC ટીયરના યાત્રી 50 કિલો સામાન, AC ચેરકાર અને સ્લીપર ક્લાસના યાત્રીઓ 40 કિલોગ્રામ અને સેકન્ડ ક્લાસના યાત્રી 35 કિલોગ્રામ સુધીનો સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે. જો ફર્સ્ટ ક્લાસમાં યાત્રી 15 કિલો સામાન લઈ જાય અને અન્ય શ્રેણીના મુસાફરો પાસે નક્કી સામાન કરતા 10 કિલોગ્રામ કરતા વધુ વજન હોય તે સ્થિતિમાં મુસાફરોએ 1.5 ગણો દંડ ચૂકવવો પડે છે, પણ તેના માટે પહેલા જ ટીટીઈને માહિતી આપીને તેનો ચાર્જ ચુકવવો પડશે. પણ યાત્રી પાસે વધુ સામાન છે તો તો તેને પાર્સલ દ્વારા બૂક કરાવવું પડશે.રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જો સ્લીપર ક્લાસના મુસાફર પાસે 80 કિલોગ્રામ સામાન છે તો તેનો અર્થ એ થાય કે તે 40 કિલોગ્રામ વધારે સામાન લઈ જાય છે અને તેણે 500 કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો તેણે 109 રુપિયા ચુકવવા પડે છે, કારણ કે તેના પહેલા રકમ નથી ચુકવાઈ અને ટીટીઈ કે રેલવે સ્ટાફને વધારે વજનના સામાનને લઈ જવો પડે છે અને તેના 6 ગણા એટલે કે 654 રુપિયા ચુકવવી પડશે

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here