Sunday, June 8, 2025
HomeGujaratજેતલપુર રોડ પર બસ દીવાલ સાથે અથડાઇ તો નવસારીમાં દીવાલ તૂટતાં 7ને...

જેતલપુર રોડ પર બસ દીવાલ સાથે અથડાઇ તો નવસારીમાં દીવાલ તૂટતાં 7ને ઇજા

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડોદરા : છેલ્લા 24 કલાકમાં મેઘરાજા રાજ્યભરમાં ધડબડાટી બોલાવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ, અમદાવાદમાં 5 થી 9 ઇંચ, આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વહેલી સવારથી રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23થી વધુ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે મોડી રાત્રે જેતલપુર રોડ લક્સરી બસ દીવાલ સાથે અથડાતા રોડ પરનું સમગ્ર પાણી બેસમેન્ટમાં ઘૂસી ગયું હતું. જેના લીધે દુકાનો પાણી ઘૂસી જતાં દુકાનદારોએ ભારે નુકસાન થયું હતું. નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી જતા સાત લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ નવસારીના કૃષ્ણપુર ગામે જન્માષ્ટીના દિવસે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી. મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન દીવાલનો એક ભાગ તૂટી પડતાં સાત લોકોને ગંભીર ઇજા પહોંચી હતે. જેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here