Wednesday, June 18, 2025
HomeSportsઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી: જાડેજાનું શાનદાર પ્રદર્શન

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી: જાડેજાનું શાનદાર પ્રદર્શન

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય બન્યા છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે ‘X’ પોસ્ટ કરીને લખ્યું કે, ‘રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’ નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.ભારતીય ક્રિકેટ રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં જાડાય છે. ચૂંટણી દરમિયાન તેઓ પત્ની રીવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા, તેમણે ઘણાં રોડ શો પણ કર્યા. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન :
ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તેમનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ સારો રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાડેજાએ ભારત માટે 74 ટી20 મેચ રમી છે. આ દરમિયાન 515 રન બનાવ્યા છે. તેમણે આ ફોર્મેટમાં 54 વિકેટ પણ લીધી છે. જાડેજાનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજા હજુ પણ ભારત માટે વનડે અને ટેસ્ટ રમશે. તેની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here