Thursday, June 19, 2025
HomeIndiaઉદયપુર બબાલ મામલે તંત્રએ આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું :...

ઉદયપુર બબાલ મામલે તંત્રએ આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું : આ કેવી કાર્યવાહી?

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલિ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે.ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું છે. આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતા હતા. ચાકુબાજીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની હાલત હજુ નાજુક છે, ત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. જે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here