Thursday, June 19, 2025
HomePoliticsઆર્ટિકલ ૩૭૦ : અમિત શાહ હિન્દત્વના લોહ પુરૂષ પુરવાર

આર્ટિકલ ૩૭૦ : અમિત શાહ હિન્દત્વના લોહ પુરૂષ પુરવાર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -
Newly appointed Home Minister Amit Shah gestures as he arrives at the ministry of Home affairs in New Delhi on June 1, 2019. – As the battle-hardened drill sergeant for Prime Minister Narendra Modi, Amit Shah has long been considered India’s second most-powerful person, and his appointment on May 31 as home minister elevates his position to leader-in-waiting. (Photo by STR / AFP)

ઐતિહાસિક નિર્ણય બાદ શાહની તુલના હવે સરદાર પટેલ સાથે થવા લાગી ગઇ ,શાહની સ્થતી વધારે મજબુત થઇ

નવી દિલ્હી,તા. ૬
અમિત શાહને ભારતીય જનતા પાર્ટી હવે લોહપુરૂષ તરીકે ગણી રહી છે. આર્ટિકલ -૩૭૦ને દુર કરવા જેવા કઠોર અને સાહસી નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સમર્થકો તેમની તુલના સરદાર વલ્લભભાઇ પટેલ સાથે કરવા લાગી ગયા છે. દિલ્હી ભાજપના પ્રવકતાએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે મોદી ફોર ૨૦૨૪ અને શાહ ફોર ૨૦૨૯ રહેશે. રવિવારના દિવસે ભાજપના કેટલાક સાંસદોએ તો સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે અમિત શાહમાં ગૃહમંત્રી તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની છાપ દેખાઇ આવે છે. શાહે પોતાની લોહ પુરૂષ તરીકેની છાપને એ વખતે સાબિત કરી બતાવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કોઇ મોટી જવાબદારી સોંપી હતી. યુપીમાં ૫૦ ટકા કરતા વધારે મતને પોતાની તરફેણમાં કરવાને લઇને બંગાળમાં ભગવો લહેરાવવા સહિતની અનેક સફળ કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે. શાહ મજબુતી સાથે ભાજપ માટે કામ કરતા રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કરીને શાહે પોતાને ભારતીય રાજનીતિના લોહ પુરૂષ તરીકે સાબિત કર્યા છે. ચૂંટણી જીતવા માટેની રણનિતી બનાવવામાં તેમની પહેલાથી જ મોટી સિદ્ધી રહી છે. જેથી તેમને ભારતીય રાજનીતિના ચાણક્ય તરીકે તો પહેલાથીજ કહેવામાં આવે છે. હવે કાશ્મીર મામલે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા બાદ તેમના બોલ્ડનેસની પણ ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દેશના વિવિધ ભાગમાં નરેન્દ્ર મોદીના નામ પર જીતે છે. જા કે તેમની રણનિતીની જવાબદારી અમિત શાહે સંભાળે છે. મોદી સરકારની પ્રથમ પાંચ વર્ષની અવધિ દરમિયાન સમગ્ર દેશમાં ફરીને લોકોના મુડને સમજી લેવામાં શાહે સફળતા મેળવી હતી. જે ચૂંટણી રણનિતી બનાવવામાં કામ લાગી હતી. જેથી મોદી પહેલા કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે ચૂંટણી જીતી ગયા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here